Friday, August 24, 2018

સુંદરજી ગોકળદાસ બેટાઈ


ગુજરાતી કવિ તથા  વિવેચક સુંદરજી ગોકળદાસ બેટાઈનો  
જન્મ તા. ૧૦/૮/૧૯૦૫ રોજ તેમના જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં થયો હતો
તેમણે ઈ.સ.૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૩૨માં એલએલ.બી.થયા.
ઈ.સ.૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી તેઓ  મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા.
તેમનું ૧૬ જાન્યુઆરી ૧૯૮૯ના રોજ મુંબઈમાં અવસાન. 
તેમણે દ્વૈપાયનઅને મિત્રાવરૂણઉપનામથી ગુજરાતી સાહિત્યસર્જન કર્યું છે.
▪ ‘ઇન્દ્રધનુ’ , ‘વિશેષાંજલિ’ , ‘સદગત ચંદ્રશીલાને’,‘તુલસીદલ’, ‘વ્યંજના’ , ‘અનુવ્યંજના’ , ‘શિશિરે વસંત’  અને ‘શ્રાવણીની ઝરમર’  એ એમના કાવ્યસંગ્રહો છે. 
પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ માં ન્હાનાલાલબ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે.
▪  ‘આમોદ’ માં ‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે.
કવિ તથા કવિતા તરફ જોવાની સમદ્રષ્ટિએમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.
▪ ‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમાએ એમનાં શાળોપયોગી સંપાદનો છે. 
▪ ‘જ્યોતિ રેખાએ સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ છે.

No comments:

Post a Comment