Thursday, August 23, 2018

ભારતના ક્રાન્તિવીરો


A.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
B.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના
C.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે
D.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે
E.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ
F.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
G.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની
H.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
I.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
J.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે
K.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
L.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે
M.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના
N.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
O.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
P.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ
Q.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું
R.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
S.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ
T.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
U.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં
V.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના
W.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં
X.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
Z.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી
A.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં
B.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં
C.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત 
D.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત 
E.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની

No comments:

Post a Comment