Friday, August 24, 2018

ઉપસભાપતિ


-રાજ્યસભાના સભ્યો પોતાની વચ્ચે એક ઉપસભાપતિને ચૂંટી કાઢે છે.

-રાજ્યસભાના ઉપયભાપતિનું પદ નીચેની પરિસ્થિતિઓમાં ખાલી પડે જ્યારે,

-રાજ્યસભાનો સભ્ય ન રહે

-ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે.

-રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે.

-ઉપસભાપતિ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ તરીકે કાર્ય કરે છે.

-જ્યારે સભાપતિ હાજર હોય ત્યારે તે રાજ્યસભાના સામાન્ય સભ્યોની જેમ ગૃહમાં બેસે છે.

અનુચ્છેદ-૯૦ 
રાજ્યસભાના સભ્યો બહુમતીથી તેને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરે. જેના વિશે ૧૪ દિવસ પહેલા ઉપસભાપતિને નોટીસ પાઠવવામાં આવે છે.
અનુચ્છેદ-૯૧
રાજ્યસભાની બેઠકમાં જ્યારે સભાપતિ ગેરહાજર હોય તો ઉપસભાપતિ અથવા એ પણ ગેરહાજર હોય તો  રાજ્યસભાના કાર્યવાહીના નિયમોથી નક્કી કરવામાં આવે તે વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિ હાજર ન હોય, તો રાજ્યસભા નક્કી કરે તેવી અન્ય વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.


No comments:

Post a Comment