Friday, August 24, 2018

અમૃતલાલ યાજ્ઞિક


-ગુજરાતી વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકનો જન્મ તા. ૮/૮/૧૯૧૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો
અભ્યાસ ધ્રાંગધ્રાંમાં મેળવ્યું. ઈ.સ.૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ અને ઈ.સ.૧૯૩૯માં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં
ખંડસમયના વ્યાખ્યાતા તરીકે નીમાયા. ઈ.સ.૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક બન્યા ત્યારપછી તેઓ🔰♻ ઈ.સ.૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય તરીકે નિમણૂંક થઇ. 🔰ઈ.સ.૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ,
વિલેપાર્લેના આચાર્ય તરીકે સેવા આપી..
-ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો કિશોરલાલ મશરૂવાલાઅને ગુલાબદાસ બ્રોકરછે. જગગંગાનાં વહેતાં નીર’,
-શિક્ષણ-સમાજ-વિષયક આત્મગંગોત્રીનાં પુનિત જલ’), ‘જાગીને જોઉં તો’, ‘સમાજગંગાનાં વહેણો’, ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાંચિંતનાત્મક નિબંધો
છે. તો લોકસાહિત્યનું સમાલોચન’ , ‘ગુજરાતનમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકનએમનાં સંપાદનો પુસ્તકો છે.

No comments:

Post a Comment