-હોમરૂલ =
ગૃહસ્વરાજ્ય = સ્વશાસન
-સ્વદેશી
આંદોલનના નેતા અરવિંદ ઘોષ સંન્યાસ લઇને પાંડિચેરીં માં આધ્યાત્મિક જીવન વિતાવતા
હતા.
-લાલા લજપતરાય
ત્યારે અમેરિકામાં ચાલ્યા ગયા હતા.
-બાળગંગાધર ટિળક
જ્યારે ૬ માસનીં જેલમાંથી છૂટયા ત્યારે સમગ્ર દેશ શાંત જણાતો હતો. ભારતીય
રાષ્ટ્રીય કૉંગ્રેસ પણ વિભાજિત થઇને ભાંગી પડી હતી.
-આ બધુ જોઇને
ફરીથી કોંગ્રેસ ધમઘમતી કરવામાં અને ફરી દેશમાં સ્વતંત્રતાની કે સ્વરાજ ચળવળ માટે
જાગૃતિ લાવવાના હેતુથી લોકમાન્ય ટિળકે ‘હોમરૂલ લીગ’
શરૂ કરી
- ટિળકે ૨૮ એપ્રિલ,
૧૯૧૬ના રોજ બૈલગામ (પૂના) માં હોંમરૂલ લીગ નીં
સ્થાપના કરી.
- ટિળકે
અંગ્રેજીમાં ‘મરાઠા’ અને મરાઠીમાં ‘ કેસરી' નામની પત્રિકાઓ દ્વારા પ્રચારનું કામ કર્યું.
-આ લીગની પાંચ
મહિના પછી શ્રીમતી એની બેસન્ટે પણ અલગથી
સપ્ટેમ્બર, ૧૯૧૬માં મદ્રાસમાં બીજી ‘હોમરૂલ લીગ’ ની શરૂઆત કરી.
-એની બૅસન્ટે ‘ધી કોમનવીલ’ સાપ્તાહિક અને ‘ન્યુ ઇન્ડિયા’ દૈનિક દ્વારા હોમરૂલનો પ્રચાર કર્યો.
-કોંગ્રેસ અને
મુર્સિલમ લીંગે પણ આ આંદોલનને ટેકો આપ્યો.
- ૧૫મી જૂન,
૧૯૧૭ના રોજ સરકારના વિરૃદ્ધ લેખો લખવા બદલ
મદ્રાસ સરકારે એની બૅસન્ટનીં ધરપકડ કરી.
-એની બૅસન્ટને
મુકત કરવા માટે સમગ્ર દેશમાંથી માંગણી થઇ. તિલકે સત્યાગ્રહ કરવાની ઘોષણા કરી. પરંતુ તેની પહેલા તેને છોડી દેવામાં આવ્યા.
- ગુજરાતમાં
હોમરૂલ લીગની સ્થાપના ના ઇ.સ. ૧૯૧૬માં અમદાવાદ ખાતે મગનભાઈ ચતુરભાઈએ કરી.
No comments:
Post a Comment