Thursday, August 23, 2018

હોમરૂલ લીગ આંદોલન


-હોમરૂલ = ગૃહસ્વરાજ્ય = સ્વશાસન
-સ્વદેશી આંદોલનના નેતા અરવિંદ ઘોષ સંન્યાસ લઇને પાંડિચેરીં માં આધ્યાત્મિક જીવન વિતાવતા હતા.
-લાલા લજપતરાય ત્યારે અમેરિકામાં ચાલ્યા ગયા હતા.
-બાળગંગાધર ટિળક જ્યારે ૬ માસનીં જેલમાંથી છૂટયા ત્યારે સમગ્ર દેશ શાંત જણાતો હતો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પણ વિભાજિત થઇને ભાંગી પડી હતી.
-આ બધુ જોઇને ફરીથી કોંગ્રેસ ધમઘમતી કરવામાં અને ફરી દેશમાં સ્વતંત્રતાની કે સ્વરાજ ચળવળ માટે જાગૃતિ લાવવાના હેતુથી લોકમાન્ય ટિળકે હોમરૂલ લીગશરૂ કરી
- ટિળકે ૨૮ એપ્રિલ, ૧૯૧૬ના રોજ બૈલગામ (પૂના) માં હોંમરૂલ લીગ નીં સ્થાપના કરી.
- ટિળકે અંગ્રેજીમાં મરાઠાઅને મરાઠીમાં કેસરી' નામની પત્રિકાઓ દ્વારા પ્રચારનું કામ કર્યું.
-આ લીગની પાંચ મહિના પછી શ્રીમતી એની બેસન્ટે પણ અલગથી  સપ્ટેમ્બર, ૧૯૧૬માં મદ્રાસમાં બીજી હોમરૂલ લીગની શરૂઆત કરી.
-એની બૅસન્ટે ધી કોમનવીલસાપ્તાહિક અને ન્યુ ઇન્ડિયાદૈનિક દ્વારા હોમરૂલનો પ્રચાર કર્યો.
-કોંગ્રેસ અને મુર્સિલમ લીંગે પણ આ આંદોલનને ટેકો આપ્યો.
- ૧૫મી જૂન, ૧૯૧૭ના રોજ સરકારના વિરૃદ્ધ લેખો લખવા બદલ મદ્રાસ સરકારે એની બૅસન્ટનીં ધરપકડ કરી.
-એની બૅસન્ટને મુકત કરવા માટે સમગ્ર દેશમાંથી માંગણી થઇ. તિલકે સત્યાગ્રહ કરવાની ઘોષણા કરી.  પરંતુ તેની પહેલા તેને છોડી દેવામાં આવ્યા.
 -હવે, ગાંધીજી ધીમે ધીમે જાહેરમાં સક્રિય થવા લાગ્યા હતા.
- ગુજરાતમાં હોમરૂલ લીગની સ્થાપના ના ઇ.સ. ૧૯૧૬માં અમદાવાદ ખાતે મગનભાઈ ચતુરભાઈએ કરી.

No comments:

Post a Comment