Thursday, August 30, 2018

માધવસિંહ સોલંકી


ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતાડનાર કોંગ્રેસના માધવસિંહ સોલંકીને માત્ર ૧૧૮ દિવસના શાસન બાદ રાજીનામુ આપીને પોતાના શિષ્ય અમરસિંહ ચૌધરીને સત્તા સોંપવી પડી હતી.
માધવસિંહ જેવા સૌથી પાવરફૂલ મુખ્યમંત્રીને સત્તા છોડવાની નોબત શા માટે આવી ?
કારણ સ્પષ્ટ હતું . માધવસિંહ ગુજરાતના રાજકારણમાં KHAM (ખામ ) યાને ક્ષત્રિય , હરિજન , આદિવાસી અને મુસ્લિમ મતબેંકને સંગઠિત કરનારા પ્રથમ રાજકારણી હતા .

માધવસિંહે ગુજરાતના દલિતો અને વંચિતોને અનામત પ્રથાનો લાભ આપ્યો હતો . માધવસિંહે અનામત કેટેગરીના સરકારી કર્મચારીઓ માટે રોસ્ટર પ્રથાથી માંડીને ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરી હતી . માધવસિંહના રાજમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને જીડીપી ચરમસીમાએ પહોંચ્યા હતા .

માધવસિંહના રાજમાં ભ્રષ્ટાચાર ન્યૂનત્તમ હતો . છતાં માધવસિંહના ૧૧૮ દિવસના શાસનમાં સૌથી મોટુ અનામત વિરોધી આંદોલન થયું , કોમી રમખાણો થયાં . . . સરકારમાં સતત અસ્થિરતા રહી . . . કારણ ? માધવસિંહે ' ખામ ' થિયરીને પોષપા પોતાની મનસ્વી વ્યૂહરચના અપનાવી એ જમાનાના ધૂરંધર ગણાતાં કોંગ્રેસી નેતાઓ પ્રબોધ રાવળ , સનત મહેતા, મનોહરસિંહ જાડેજા , મહંત વિજયદાસજી, હરિસિંહ મહિડા , હરિહર ખંભોળજા , કોકીલાબેન વ્યાસ, મગનભાઈ સોલંકી વગેરેને ટિકિટ ન આપી રાજકીય હાંસિયામાં ધકેલી દીધા.

આ અસંતુષ્ટોએ કોંગ્રેસની મતબેંકમાં આગ ચાંપી . અનામત આંદોલનો અને રમખાણો કરાવ્યા અને સરવાળે માધવસિંહને સત્તા છોડી દિલ્હી જવું પડ્યું. અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવાયા પરંતુ ત્યારબાદ સોલંકી જૂથે ટાંટિયા ખેંચ શરૂ કરી. સરવાળે ચૌધરી સરકારમાં કોંગ્રેસનું વધુ ધનોત - પનોત નીકળ્યું.
નવી વિધાનસભાની ચૂંટણીને આડે માંડ ત્રણ મહિના હતા ત્યારે પુન: માધવસિંહને કોંગ્રેસે સત્તા સોંપી . કારણ કે, હાઈકમાન્ડને પ્રતિતી થઈ ગઈ હતી કે, ચૌધરીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી નહીં જીતી શકે . માધવસિંહે પુન: ખામવાળી નીતિ અપનાવી અને પટેલો સહિતના સવર્ણો કોંગ્રેસથી વિમુખ થયા . ' કાબે અર્જુન લૂંટિયો , વહી ધનુષ વહી બાણ' ની માફક મોસ્ટ પાવરફૂલ માધવસિંહનેતૃત્વમાં લડાયેલી એ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી ઓછી માત્ર ૩૩ બેઠકો પ્રાપ્ત થઈ . આ રાજકીય હૂંસાતૂંસીનું પરિણામ એટલું ખરાબ આવ્યું કે, આજે ૨૬ વર્ષના વ્હાણાં બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર રચી શકતી નથી .

1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ભારત ના નેતાઓ


દિલ્હી  -બહાદુરશાહ ઝફર

કાનપુર  -નાના સાહેબ પેશ્વા અને તાત્યા ટોપે

અલાહાબાદ - લિયાકત અલી

ફતેપુર -અજીમુલ્લા

જગદીશપુર -કુંવરસિહ (જમીનદાર)

ઝાંસી - રાણી લક્ષમીબાઈ

લખનઉ -બેગમ હજરત મહલ અને બીરજીસ કદ્ર

બરેલી - ખાન બહાદુર

મેરઠ -કંદમ સિહ

ફૈઝાબાદ -મૌલવી અહમદ આલા

હરિયાણા -રાવાતુલારામ

મથુરા -દેવીસિહ

ભારત ના ઈતિહાસ ના મહત્વના યુદ્ધો


તરાઈ પ્રથમ યુદ્ધ 1191

તરાઈ બીજું યુદ્ધ 1192

પાણીપત પ્રથમ યુદ્ધ 1526

ખાનવા યુદ્ધ 1527

ચંદેરી યુદ્ધ 1528

ઘોઘર યુદ્ધ 1530

ચૌસા યુદ્ધ 1539

બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ 1540

સરહિન્દ નુ યુદ્ધ 1555

પાણીપત બીજું યુદ્ધ 1556

પાણીપત ત્રીજું યુદ્ધ 1761

પ્લાસી યુદ્ધ 23 જુન 1757

બકસર યુદ્ધ  1764

Friday, August 24, 2018

સયાજીરાવ ગાયકવાડ

૧ ગાયકવાડ ક્યાના વંશ છે?
- વડોદરા
૨ વડોદરાના સત્તા સંભાળનાર મહારાજા ક્યા નામે ઓળખાય છે?
- મહારાજા ગાયકવાડ કે ગાયકવાડ
૩ ગાયકવાડ કેવો સમૂહ છે?
 - મરાઠી સમૂહ
૪ ગાયકવાડ ક્યાના વંશજ છે?
- ભગવાન કૃષ્ણના ચંદ્રવંશી વંશજો
૫ ગાયકવાડ ક્યા બે શબ્દનો બનેલો છે?
- ગાય અને કવાડ (દરવાજો)
૬ સયાજીરાવ બીજા ક્યા નામે ઓળખાય છે?
- ગોપાલરાવ
૭ સયાજીરાવ ગાયકવાડ શાની માટે જાણીતા છે?
- શૈક્ષણિક અને સામાજિક સુધારા લાવવા માટે
૮ સયાજીરાવનો જન્મ ક્યા થયો હતો? ક્યારે?
- ૧૧ માર્ચ, ૧૮૬૩ અને કાવલાના
૯ સયાજીરાવના પિતાનું નામ શું હતું?
- શ્રીમંત કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડ
૧૦ સયાજીરાવને ક્યારે બરોડાના રાજકુમાર તરીકે દત્તક લેવાયા?
 - ૧૮૭૫
૧૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નખાયો?
 - ૧૮૭૯
૧૨ આજવા સરોવર યોજનાનો પ્રારંભ ક્યારે થયો?
- ૧૮૮૫
૧૩ વડોદરામાં ફરજિયાત શિક્ષણની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૦૬
૧૪ વડોદરાને સંસ્કારનગરી તરીકે કોણે પ્રતિષ્ઠા અપાવી?
 - સયાજીરાવ ગાયકવાડે
૧૫ બ્રિટીશ સરકારે સયાજીરાવ ગાયકવાડને કયો ઈલ્કાબ આપ્યો?
- ફરજંદે - ખાસ - એ - દૌલત - એ - ઈંગ્લીશિયા
૧૬ કઈ સાલમાં બરોડામાં મફત અને ફરજિયાત કેળવણીની પ્રથા દાખલ કરી?
- ૧૮૯૩
૧૭ સમગ્ર ભારતમાં મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૧૮ ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડ
૧૯ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડે
૨૦ વડોદરાની રાજભાષા કઈ હતી?
- ગુજરાતી
૨૧ ગુજરાતી લેખકોની પરિષદ કયા ભરાઈ હતી?
- વડોદરા
૨૨ સયાજીરાવે અંત્યજો માટે શાળાની સ્થાપના ક્યારે કરી હતી?
- ૧૮૮૨મા
૨૩ ભીમરાવ આંબેડકરને વિદેશ ભણવા કોણે મોકલ્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૪ કોણ એક સારા સમાજસુધારક હતા?
 - સયાજીરાવ ગાયકવાડ
૨૫ વડોદરા રાજ્યમાં કોણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો?
- સયાજીરાવ ગાયકવાડે
૨૬ વિધવાવિવાહને કાયદેસર કોણે બનાવ્યા?
 - સયાજીરાવ ગાયકવાડે
૨૭ સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયત્નો કોણે કર્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૯ વડોદરામાં સંગીત પ્રવૃતિનો પ્રારંભ કોના સમયમાં થયો હતો?
- ખંડેરાવ મહારાજના
૩૦ વડોદરામાં અસ્પૃશ્યતાનિવારણનું કામ કોણે કર્યું?
 - સયાજીરાવ ગાયકવાડે
૩૧ વડોદરાના રાજદરબારની શાન વધારવા કોને મૈસૂરથી તેડાવ્યા?
- રાજગાયક મૌલાબક્ષ
૩૨ વડોદરાની સંગીતશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? - મૌલાબક્ષ
૩૩ સયાજીરાવે ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવી?
- ૧૯૧૬
૩૪ સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન શાનાથી આવે?
 - શિક્ષણ
૩૫ એશિયામાં મોટી ઈમારતમાં કોની ગણના થાય છે?
- સેન્ટ્રલ લાઈબ્રેરી, બરોડા
૩૬ સયાજીરાવનું અવસાન કયારે થયું?
- ૬ ફેબ્રુ., ૧૯૩૯
૩૭ વડોદરાને સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે વિશ્વભરમાં સ્થાન અપાવનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૩૮ સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને સયાજી બાગ ક્યારે સમર્પિત કર્યો?
 - ૧૮૭૯ (૧૧૩ એકર)
૩૯ સયાજીબાગ હાલ કયા નામે ઓળખાય છે?
- કમાટીબાગ
૪૦ વડોદરાના કયા બાગની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે?
 - કમાટીબાગ
૪૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નંખાયો?
- ૧૮૭૯મા
૪૨ વડોદરા કોલેજ હાલ કયા નામે ઓળખાય છે?
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી
૪૩ વડોદરાનું કયું લલિતકલા માટેનું ભવન જગપ્રસિદ્ધ બન્યું?
- કલાભવન 
૪૪ કયા વિખ્યાત ઇટાલિયન કલાકાર સયાજીરાવના દરબારમાં હતા?
- ફેલિચી
૪૫ દાદાસાહેબ ફાળકેએ વડોદરામાં ક્યા કલાઓનો અભ્યાસ કર્યો હતો?
- કલાભવન
૪૬ મહારાજાના ખાનગી સચિવ તરીકે કોણ ૧૫ વર્ષ રહ્યા?
- અરવિંદ ઘોષ
૪૭ શિકાગો ખાતે યોજાયેલ બીજી સર્વ ધર્મપરિષદના અધ્યક્ષ કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૪૮ સયાજીરાવ ગાયકવાડ કેવા રાજવી હતા?
 - ઉદારમતવાદી અને સુધારક રાજા
૪૯ સયાજીરાવે કેટલા પુસ્તકોનું પ્રકાશન વડોદરા રાજ્ય તરફથી કર્યું?
- ૩૦૦ ગ્રંથો
૫૦ કયો રાજવી બ્રિટિશરો માટે માથાનો દુઃખાવો બની ગયા હતા?
- સયાજીરાવ ગાયકવાડ 
૫૧ સયાજીરાવે દાદાભાઈ નવરોજીને કઈ રીતે મદદ કરેલી?
- આજીવન પેન્શન આપીને
૫૨ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી હતી?
- પ્રતાપ રાવ ગાયકવાડે
૫૩ વડોદરામાં મરાઠા ગાયકવાડની શરૂઆત ક્યારથી થઇ?
 - ૧૭૨૧મા
૫૪ કયા મરાઠા સેનાપતિએ વડોદરાને મરાઠામાં ભેળવી દીધું?
- સેનાપતિ પીલાજીરાવ ગાયકવાડે
૫૫ વડોદરાના આધુનિકીકરણને મહત્તા કયા રાજવીએ આપી?
- સયાજીરાવ ગાયકવાડે
૫૬ આઝાદી પછી વડોદરાને કોની સાથે જોડવામાં આવ્યું?
- મુંબઈ રાજ્ય સાથે
૫૭ ગાયકવાડ અટક સામાન્ય રીતે કયા જોવા મળે છે?
- મહારાષ્ટ્રમાં
૫૮ અંગ્રેજો સાથે કેમ્બે સંધિ કોણે કરી હતી?
 - મહારાજા આનંદરાવ ગાયકવાડે
૫૯ કઈ સંધિ અનુસાર અંગ્રેજોએ વડોદરાને અલગથી માન્યતા આપી?
- કેમ્બે સંધિ
૬૦ વડોદરામાં હરિજનો માટે શિક્ષણના દ્વાર કોણે ખોલી આપ્યા?
- સયાજીરાવ ગાયકવાડે 

અમૃતલાલ યાજ્ઞિક


-ગુજરાતી વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકનો જન્મ તા. ૮/૮/૧૯૧૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો
અભ્યાસ ધ્રાંગધ્રાંમાં મેળવ્યું. ઈ.સ.૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ અને ઈ.સ.૧૯૩૯માં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં
ખંડસમયના વ્યાખ્યાતા તરીકે નીમાયા. ઈ.સ.૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક બન્યા ત્યારપછી તેઓ🔰♻ ઈ.સ.૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય તરીકે નિમણૂંક થઇ. 🔰ઈ.સ.૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ,
વિલેપાર્લેના આચાર્ય તરીકે સેવા આપી..
-ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો કિશોરલાલ મશરૂવાલાઅને ગુલાબદાસ બ્રોકરછે. જગગંગાનાં વહેતાં નીર’,
-શિક્ષણ-સમાજ-વિષયક આત્મગંગોત્રીનાં પુનિત જલ’), ‘જાગીને જોઉં તો’, ‘સમાજગંગાનાં વહેણો’, ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાંચિંતનાત્મક નિબંધો
છે. તો લોકસાહિત્યનું સમાલોચન’ , ‘ગુજરાતનમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકનએમનાં સંપાદનો પુસ્તકો છે.

ભારત છોડો ચળવળ

1942ની 8 ઓ ગસ્ટે ગાંધીજીના નેતૃત્ત્વમાં અંગ્રેજો સામે ' ભારત છોડો ચળવળ ' શરૂ થઈ હતી . વિશ્વ યુદ્ધમાં ખુવાર થયેલા બ્રિટન પર દબાણ વધારવા પ્રસિદ્ધ થયેલી આ ચળવળ 'ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ' તરીકે ઓળખાય છે .
મહાત્મા ગાંધીએ ' ભારત છોડો આંદોલન 'ની શરૂઆત વર્ષ ૧૯૪૨માં આજના દિવસે કરી હતી . અંગ્રેજોના સામાજિક બહિષ્કારની સાથે આઝાદી મેળવવા માટે ' કરો યા મરો 'નો નારો પણ ગાંધીજીએ આ દિવસે જ આપ્યો હતો 

પહેલું ઊડતું વિમાન

વિમાનના સંશોધકો ઓરવેલ- વિલબર રાઇટ બંધુઓએ વર્ષ 1908ની 8 ઓગસ્ટે પહેલીવાર લોકો સમક્ષ વિમાન ઉડાવ્યું હતું . આ શોધ લોકો સમક્ષ નહોતી આવી ત્યાં સુધી અખબારો પણ તેમને ' છેતરપિંડી' કરનારા ગણતા હતા